એવા તે રંગમાં રંગાવું શું ?સખી લાગે નહીં જે કદી ઘેરા,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે’જો તમે કોરા .
જીવતરની કાચી કુંપળને કદી ફૂટે જો ફાગણ ના ફૂલ !
તો ખૂશ્બોના હિંડોળે બેસાડજો ઘડી ,ને પછી ગમતા ને કે ‘જો કે ઝૂલ ! 
મોકો મળે તો સખી ખીલવાની મોંસમ માં ખૂલી જજો પુરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .
પાંપણ ની ડાળખી ને ઉગે ઉજાગરા તો શમણા ને દેજો રે પાંખો !
લથબથતી લાગણી ને ઢોલિયે બીછાવજો ને પનઘટે બેસાડજો આંખો!
હેતઘેલા હૈયાના જોજો ના રહી જાય ઓરતા એક્કે અધૂરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .
-વર્ષા બારોટ