તારા ઘર સુધી

October 11, 2009 · 2 Comments

માર્ગ સઘળા જાય તારા ઘર સુધી
તોય કયાં પહોચાય તારા ઘર સુધી

એટલી દ્રૂષ્ટિ ય કાફી છે હવે,
બસ ફક્ત જોવાય તારા ઘર સુધી

મે સતત રાખ્યા છે વહેતા આંસુઓ,
કાશ એ રેલાય તારા ઘર સુધી

બીજ રૂપે શબ્દ મારામાં પડ્યો,
થૈ ગઝલ ફેલાય તારા ઘર સુધી

આંખને વાળી છતાં ક્યાં ચેન છે
મન હવે ચકરાય તારા ઘર સુધી
-પ્રો.મહેશભાઈ મકવાણા

→ 2 CommentsCategories: ગઝલ · પ્રો.મહેશભાઈ મકવાણા
Tagged:

બંધ આંખે બારણા જોયા કરો

September 28, 2009 · 4 Comments

મૌન સાથે જાતને ઘોળ્યા કરો.
બંધ આંખે બારણા જોયા કરો

આથમેલો સુર્ય ઉગશે પણ ખરો ,
ઉંબરા બસ આશથી ધોયા કરો.

કોણ આવ્યું કોણ ત્યાંથી જાય છે,
સાવ ખુલ્લા ભીતરે જોયા કરો.

કોણ સંભાળશે ગઝલ જેવા હવે,
શબ્દે શબ્દે રોદણાં રોયા કરો.
-અસલ પાલનપુરી

→ 4 CommentsCategories: અસલ પાલનપુરી · ગઝલ

કેમ છુટે મડાગાંઠ આ શ્વાસની

September 28, 2009 · 4 Comments

કેમ છુટે મડાગાંઠ આ શ્વાસની,
આવને જાવમાં સેજ તકરાર છે.

બેબસી એજ કે માત્ર વાચા નથી,
ઝુલતા ફૂલમાં મ્હેકનો ભાર છે.

-અસલ પાલનપુરી

→ 4 CommentsCategories: અસલ પાલનપુરી · મુક્તક

મરતાં પહેલા મરતો માણસ-વર્ષા બારોટ

September 11, 2009 · 2 Comments

ઝેર હદયમાં ભરતો માણસ.
સર્પની માફક સરતો માણસ.

વિસરી બેઠો માનવતાને,
દાનવ થઈને ફરતો માણસ.

મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
ઈશ્વરથી ના ડરતો માણસ.

ક્ષણમાં એ ખીલી ઉઠેને,
ક્ષણમાં પાછો ખરતો માણસ.

સાચા-ખોટા શમણાં લઈને,
ખાલી ઘરને ભરતો માણસ.

દોડી દોડી સુખની પાછળ,
મરતાં પહેલા મરતો માણસ.

-વર્ષા બારોટ

→ 2 CommentsCategories: ગઝલ · વર્ષા બારોટ

રે સખી !મુજને સતાવે મોરપીંછું

August 14, 2009 · 2 Comments

યાદ ગોકુળની અપાવે મોરપીંછું,
રે સખી !મુજને સતાવે મોરપીંછું.

નેઠ ભૂલી’તી હું જમનાજીનો કાંઠો,
કાનની બંસી બજાવે મોરપીંછું.

તે છતાં ક્યાં કાનુડો કાને ધરે છે,
રોજ કાગળીયા લખાવે મોરપીંછું.

જ્યાં જુઓ ત્યાં કાનુડો બસ કાનુડો છે,
આંખના પડદા હટાવે મોરપીંછું.

કાન એક દિ આવશે મળવા બધાને,
એમ કહી મનને મનાવે મોરપીંછું.

-શરદ ત્રિવેદી

→ 2 CommentsCategories: ગઝલ · શરદ ત્રિવેદી

બે ગઝલ-અસલ પાલનપુરી

August 4, 2009 · 13 Comments

અસ્લામ એ.ઉર્ફે અસલ પાલનપુરી ગઝલમાં એક નવો જ સુર લઈને આવે છે.અમર પાલનપુરી ને પોતાના ગુરુ માને છે.એમનુ રહેવાનું હાલ સુરત[રાંદેર] માં છે વ્યવસાયે કોઈ કંપનીમાં ઈલેકટ્રીકલ એન્જીનીયર છે ઉંમર-૨૧ વર્ષ ,પોતાનો વતનપ્રેમ એમના તખ્ખલુસમાં દેખાય જ છે એમના વતનના કવિઓનો બ્લોગ જોઈને અનહદ ખુશી અનુભવી છે પોતે ઉર્દુમાં સવિષેશ લખે છે ક્યારેક ગુજરાતી ગઝલો પણ લખે છે એમણે પોતાની બે રચનાઓ બ્લોગ માટે મોકલી છે એ બદલ આભાર.વધુમાં એમનો પરિચય એમની રચનાઓ જ આપશે.
email:asal_tasu@yahoo.com MO.9904340188
gazal2gazal1

→ 13 CommentsCategories: અસલ પાલનપુરી · ગઝલ

મૈત્રીનું મૂલ્ય

August 2, 2009 · Leave a Comment

આજે ફ્રેન્ડશીપ ડે છે તો દોસ્તી અને દોસ્ત વિશે માણીએ આજે એક મુક્તક એ પણ પાલનપુરના શાયર મુસાફિર સાહેબ ની કલમે ………..

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

- મુસાફિર પાલનપુરી

→ Leave a CommentCategories: મુક્તક · મુસાફિર પાલનપુરી

તું ને આ વરસાદ

July 19, 2009 · 3 Comments

વરસાદ ની મૌસમ પુરજોશમાં ખીલી છે. બધે જ વરસાદી વાતાવરણ છે એમાંય કવિઓની આ પ્રિયમૌસમ છે,તો આજે માણીએ પ્રો.મહેશભાઈ મકવાણા ની એક વરસાદી ગઝલ અને ભીંજાઈએ આ ઝરમર વરસાદમાં કોઈની યાદો ની સાથે…

આજ અનરાધાર વરસે તું ને આ વરસાદ;
ચિત્ત ડામાડોળ કરશે તું ને આ વરસાદ.

આ પવન પાગલ,અદા બાંકી,થીરકતી ચાલ,
લોહીમાં બેફામ ફરશે તું ને આ વરસાદ

છે છલકતું રૂપ રેલમછેલ છે આકાશ,
આગ અંગે અંગ ભરશે તું ને આ વરસાદ.

ઝુલ્ફની કાલી ઘટા,નટખટ નજરનો તોર,
પ્રાણ ગાડોતૂર કરશે તું ને આ વરસાદ.

હુંય રેલાતો જઉં પલળીને પાણી જેમ,
આજ મારામાં ઘૂઘવશે તું ને આ વરસાદ.

કેમ ઝાલ્યો જાય રસબોળ રસિયો જીવ,
મન મૂકીને આજ વરસે તું ને આ વરસાદ

-પ્રો.મહેશભાઈ મકવાણા

→ 3 CommentsCategories: ગઝલ · પ્રો.મહેશભાઈ મકવાણા

આભાસ લાગે છે મને

July 12, 2009 · 3 Comments

સાચું કહું આ પ્રેમ તો આકાશ લાગે છે મને.
જાણે કહું શું ઉડવાની આશ લાગે છે મને.

મનથી જરા જો દેખશો તો છે જ કયાં અંતર હવે,
હરપળ હયાતી આપની તો પાસ લાગે છે મને.

આખો દિવસ યાદો તમારી પ્રેમથી મંમળાવતો,
સામે જ છો ઉભા છતાં આભાસ લાગે છે મને.

હું એકલો અટવાયેલો ફાંફા તિમીરે મારતો,
સ્મરણ તમારું માત્ર બસ અજવાસ લાગે છે મને.

આ પ્રેમ સરવાણી મને શું તારશે કે મારશે,
તારી કૃપાથી સદનશીબ ચોપાસ લાગે છે મને.

-નરેન્દ્ર જગતાપ

→ 3 CommentsCategories: ગઝલ · નરેન્દ્ર જગતાપ

પ્રણય ને દિપાવે છે.-’શેષ’પાલનપુરી

June 25, 2009 · 3 Comments

શમાઓ પર દિવાનાઓ જ જીવન નિજ લુંટાવે છે.
કફન શિરે લઈ ફરનાર પ્રણય ને દિપાવે છે.

સફળતા એમને જઇને વરે છે દોસ્તો જેઓ,
તમન્નાઓ સજાવીને કસોટી એ ચઢાવે છે.

પતન માટે ન દેજો દોષ કિસ્મતની લકીરો ને,
સજે છે જીંદગી એની પસીનો જે વહાવે છે.

સમય એ ખેરખાંઓનો નથી રાખ્યો મલાજો કઇ,
સિકંદર હોય કે દારા સમય સૌને રડાવે છે.

અહમ કેરા નસામાં જે સદા ચકચૂર લાગે છે,
થશે બરબાદ ત્યારે એ ખુદા ઠોકર લગાવે છે.

રમત છે જીંદગી એને રમી લેજે સહજતાથી,
વિજય એને મળે છે જે હતાશા ને હરાવે છે.

ઝખમ આપી ગયા સૌ’શેષ’એની ના ફિકર મુજને,
હતા મારા મિત્રો એજ બસ ચિંતા સતાવે છે.

- ‘શેષ’પાલનપુરી

→ 3 CommentsCategories: 'શેષ'પાલનપુરી · ગઝલ
Tagged: