રીમીઃએક વાર્તા-વર્ષા બારોટ
December 20, 2009 · 3 Comments
વર્ષા બારોટ એક કવિયત્રીની સાથે સાથે એક સારા લેખીકા પણ છે તેઓ ગઝલ,ગીત,અછાંદસ,પ્રાર્થના,નિબંધો,પત્ર,ટૂંકી વાર્તા,નવલિકા,નવલકથા વગેરેમાં સક્રિય છે,રોહિત શાહ, ગુર્જર પ્રકાશન દ્વારા એક ટૂંકી વાર્તાઓનું સંપાદન કરવામાં આવ્યું છે જેમાં આશરે ૭૫ અલગ અલગ લેખકોની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં શબ્દ સાધના પરિવારના સદસ્ય વર્ષા બારોટની એક વાર્તા રીમી નો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ બદલ શબ્દ સાધના પરિવાર વતી વર્ષા બારોટને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! આ સાથે સાથે રોહિત શાહ તથા ગુર્જર પ્રકાશન ,અમદાવાદ નો ખૂબ ખૂબ આભાર !આ સંપાદનમાં સમાવેશ પામેલ કોઈ નવોદિત ઉચ્ચ કક્ષાનો લેખક થશે તો એનો શ્રેય રોહિતભાઈ શાહ ને જશે .અહીં નીચે એ પુસ્તકનું મુખપૃષ્ઠ તથા અંદરનું કવર પેજ અહીં મુકેલું છે
‘વાર્તાઉત્સવ’
સંપાદક રોહિત શાહ,
પ્રકાશકઃઅમરભાઈઠાકોરલાલ શાહ,
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળના નાકા સામે,
ગાંધીમાર્ગ,અમદાવાદ-૧
ફોનઃ૨૨૧૪૪૬૬૩,
email:goorjar@yahoo.com માંથી પ્રાપ્ય છે
તેની કિમત રુઃ ૨૫૦/-છે કુલ પૃષ્ઠ ૧૨+૩૮૮ નકલઃ૧૨૫૦ પ્રથમ આવૃતિઃ૨૦૦૯
વધુંમાં વર્ષા બારોટની’રીમી’ વાર્તા આપણા અગ્રણી સાહિત્યિક સામાયિક ‘અખંડ આનંદ’ના ડિસેમ્બર,૨૦૦૯ ના અંકમાં વાર્તા જગત વિભાગમાં સમાવેશ પામી છે તો એ બદલ ફરીથી વર્ષા બારોટ ને અભિંદન! અને અખંડ આનંદ ના સંપાદકોનો પણ આભાર !અહીં નીચે અખંડ આનંદમાંથી સ્કેન કરીને વાર્તા અહીં મૂકી છે જે આપને ગમશે !તમારા અમુલ્ય અભિપ્રાય આપશો તો વધું ગમશે !








→ 3 CommentsCategories: અખંડ આનંદ · ગુર્જર પ્રકાશન · ટૂકી વાર્તા · પુસ્તક પરિચય · વર્ષા બારોટ · સમાચાર
‘સફર’ પાલનપુરી
December 11, 2009 · 3 Comments
તા.૬.૧૨.૨૦૦૯ ની રવિસભામાં કવિમિત્ર ભાઈશ્રી ‘ઈશ્ક’ પાલનપુરીએ એક ગઝલ સંગ્રહ વાંચવા આપ્યો જેનું નામ છે ‘ચૂપ,રાત જાગી જશે!’ અને શાયરનું નામ વાંચીને ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાઈ જવાયું. હા, એ શાયર છે ‘સફર’ પાલનપુરી એટલે ભાઈ શ્રી બળવંત ઓઝા.સને ૧૯૮૦-૮૧ના ગાળામાં એમની સાથે સારી મિત્રતા થઈ.અમે બંને પાલનપુરી, બંનેની કર્મભૂમિ વડોદરા અને બંને કવિતાનુરાગી. બળવંતભાઈએ કવિતાનો છેડો પકડી રાખ્યો અને સારૂ નામ અને ગજુ કાઢ્યું.હું કેટલાક કારણોસર ઉદાસીન રહ્યો અને ધીરે ધીરે અમારો સહવાસ ઓછો થતાં થતાં સાવ ભૂલાઈ ગયો. તે આજે આ ગઝલ સંગ્રહ જોઈને એમની યાદ આવી ગઈ.
ચાલો આજે એમના ‘ચૂપ,રાત જાગી જશે’ માંથી એક ગઝલ ‘બાથમાં’ આપણે સૌ સાથે મળીને અહી માણીએ.
કેટલા જકડાઈ જાવું બાથમાં ?
આપણું મન હોય છે ક્યાં હાથમાં ?
યાદ કરને, યાદ નક્કી આવશે,
આપણે તરસ્યાં થયેલાં સાથમાં.
એ પછી વરસાદ સમજાયો મને,
મન મૂકી પલળ્યાં હતાં સંગાથમાં.
શી રીતે ભૂલું ‘સફર’ની એ ક્ષણો ?
યાદ છે, પગલાં લીધેલાં હાથમાં ?
-’સફર’ પાલનપુરી
→ 3 CommentsCategories: 'સફર' પાલનપુરી · 'મન'પાલનપુરી · કવિ પરિચય · ગઝલ · પુસ્તક પરિચય
આતંકવાદ
November 27, 2009 · 2 Comments
ગઈ સાલ છવ્વીસમી નવેમ્બરે મુંબઈમાં એક આતંકવાદી ગોઝારી ઘટના ઘટી ગઈ તે ના ઘા હજુંય રુઝાયા નથી ,પાલનપુરના કવિશ્રી ‘સાર્થક’એક કેમેરામેન આખી ઘટનાનો ફોટો પાડે તેમ આખી આ ઘટના એક કવિતામાં આ રીતે કંડારે છે અને પોતે અનુભવેલ દેશ દાઝ આ રીતે છતી કરે છે અને શહીદો ને શબ્દો દ્વારા આ રીતે શ્રધ્ધાંજલી અર્પે છે
છવ્વીસમીએ આતંક છાયો,બૃહદ મુંબઈ મધ્યે આયો
આલીસાન હોટલમાં આયો,કાળ તણો સાક્ષાત પડછાયો…..છવ્વીસમીએ
તાજ,નરીમાન,ઓબેરોય,ઊંચા મજલા નીચે ભોય
એ.કે સુડતાલીસની સોય ભોંકે એતો પડતા ભોય………..છવ્વીસમીએ
રાડારોળને ચીસાચીસ,ત્યાંતો માર્યા પૂરા વીસ
ફાયર ફંડા કરતા કીસ,થોડીવારમાં એકસો વીસ……….છવ્વીસમીએ
મુંબઈ આખું ધ્રુજ્યું જેમ,એકાએક આ થયું જ કેમ?
પાકિસતાને લીધી જ નેમ,ભારત આખુ ફફડે એમ……..છવ્વીસમીએ
આતંકવાદી આવ્યા દશ આતંક કીધો મોટો મસ
બહું લોકોને કિધા વશ કોણ કહે કે કરજો બસ………….છવ્વીસમીએ
પ્રવાસીઓ આ દેશના લોકો,વિદેશના સપડાયા લોકો
હેન્ડ ગ્રેનેડનો પડતો ધોકો,આતંકવાદીએ લીધો મોકો….છવ્વીસમીએ
બંધક કીધા બહુ જન લોક,ઢાળ્યા ત્યાંતો દોઢસો કો’ક
જીવતા રહ્યા તે મૂકે પોક હવે કોણ લગાવે રોક………છવ્વીસમીએ
એન.એસ.જી કમાન્ડો આવ્યા,એ.ટી.એસ જવાનો આવ્યા
હવાઈ દળ મર્દાના આવ્યા,સઘળા રક્ષક દોડી આવ્યા…છવ્વીસમીએ
એક નહી પણ હોટલ ચાર,સંતાયા નોખા સૌ યાર
જ્યાં જુએ ત્યાં મારે ઠાર ,ચારે બાજુ હાહાકાર……..છવ્વીસમીએ
આતંકવાદી છૂપતા જાય,સંતાકૂકડી રમતા જાય
વીર જવાનો દેખી જાય ગોળી રમઝટ કરતા જાય…છવ્વીસમીએ
સામ સામું યુધ્ધ ખેલાયું લોહી નદીઓ જેમ રેલાયું
શહેર મધ્યે શું ફેલાયું ?રણ મેદાને યુધ્ધ ખેલાયું….છવ્વીસમીએ
આતંકવાદી માર્યા ઠાર,કોઈ કહે છે દશ બાર
ઓછો કીધો નવનો ભાર ,ઓપરેશન એ પાડ્યું પાર…છવ્વીસમીએ
માર્યા ગયા તે બસ્સો લોક ,નર નારીને બાળક કો’ક
ઘાયલ થયા તે બમણો થોક કેમ કરીને કરવો શોક ….છવ્વીસમીએ
ઓપરેશનના શહીદ કમાન્ડો ,એ.ટી.એસ.ના વીર જવાનો
સલામ પહોચે વીર શહીદો ભારતના ભડવીર જવાનો…છવ્વીસમીએ
દેશના કાજે દીધા પ્રાણ ,દુશ્મનોના લીધા પ્રાણ
હજ્જારો બચાવ્યા પ્રાણ છુટકારો થયો આ ત્રાણ…….છવ્વીસમીએ
દેશ વિદેશમાં ઉપડ્યા કોલ આખી દુનિયા પીટાયો ઢોલ
આતંકવાદે સાધ્યો ગોલ ,પાકિસ્તાનનું ખુલ્યું પોલ …છવ્વીસમીએ
અજગર આતંકવાદ તણો છે ફૂલ્યો ફાલ્યો એ ઘણો છે
નાથો તોયે સાપ કણો છે જડમૂળથી એ નાશ હણો છે…છવ્વીસમીએ
-જગદીશ એમ.ઉપાધ્યાય ‘સાર્થક’
→ 2 CommentsCategories: અછાંદસ · જગદીશ એમ.ઉપાધ્યાય 'સાર્થક'
તારા ઘર સુધી
October 11, 2009 · 2 Comments
માર્ગ સઘળા જાય તારા ઘર સુધી
તોય કયાં પહોચાય તારા ઘર સુધી
એટલી દ્રૂષ્ટિ ય કાફી છે હવે,
બસ ફક્ત જોવાય તારા ઘર સુધી
મે સતત રાખ્યા છે વહેતા આંસુઓ,
કાશ એ રેલાય તારા ઘર સુધી
બીજ રૂપે શબ્દ મારામાં પડ્યો,
થૈ ગઝલ ફેલાય તારા ઘર સુધી
આંખને વાળી છતાં ક્યાં ચેન છે
મન હવે ચકરાય તારા ઘર સુધી
-પ્રો.મહેશભાઈ મકવાણા
→ 2 CommentsCategories: ગઝલ · પ્રો.મહેશભાઈ મકવાણા
Tagged: gazal
બંધ આંખે બારણા જોયા કરો
September 28, 2009 · 4 Comments
મૌન સાથે જાતને ઘોળ્યા કરો.
બંધ આંખે બારણા જોયા કરો
આથમેલો સુર્ય ઉગશે પણ ખરો ,
ઉંબરા બસ આશથી ધોયા કરો.
કોણ આવ્યું કોણ ત્યાંથી જાય છે,
સાવ ખુલ્લા ભીતરે જોયા કરો.
કોણ સંભાળશે ગઝલ જેવા હવે,
શબ્દે શબ્દે રોદણાં રોયા કરો.
-અસલ પાલનપુરી
→ 4 CommentsCategories: અસલ પાલનપુરી · ગઝલ
કેમ છુટે મડાગાંઠ આ શ્વાસની
September 28, 2009 · 4 Comments
કેમ છુટે મડાગાંઠ આ શ્વાસની,
આવને જાવમાં સેજ તકરાર છે.
બેબસી એજ કે માત્ર વાચા નથી,
ઝુલતા ફૂલમાં મ્હેકનો ભાર છે.
-અસલ પાલનપુરી
→ 4 CommentsCategories: અસલ પાલનપુરી · મુક્તક
મરતાં પહેલા મરતો માણસ-વર્ષા બારોટ
September 11, 2009 · 2 Comments
ઝેર હદયમાં ભરતો માણસ.
સર્પની માફક સરતો માણસ.
વિસરી બેઠો માનવતાને,
દાનવ થઈને ફરતો માણસ.
મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
ઈશ્વરથી ના ડરતો માણસ.
ક્ષણમાં એ ખીલી ઉઠેને,
ક્ષણમાં પાછો ખરતો માણસ.
સાચા-ખોટા શમણાં લઈને,
ખાલી ઘરને ભરતો માણસ.
દોડી દોડી સુખની પાછળ,
મરતાં પહેલા મરતો માણસ.
-વર્ષા બારોટ
→ 2 CommentsCategories: ગઝલ · વર્ષા બારોટ
રે સખી !મુજને સતાવે મોરપીંછું
August 14, 2009 · 2 Comments
યાદ ગોકુળની અપાવે મોરપીંછું,
રે સખી !મુજને સતાવે મોરપીંછું.
નેઠ ભૂલી’તી હું જમનાજીનો કાંઠો,
કાનની બંસી બજાવે મોરપીંછું.
તે છતાં ક્યાં કાનુડો કાને ધરે છે,
રોજ કાગળીયા લખાવે મોરપીંછું.
જ્યાં જુઓ ત્યાં કાનુડો બસ કાનુડો છે,
આંખના પડદા હટાવે મોરપીંછું.
કાન એક દિ આવશે મળવા બધાને,
એમ કહી મનને મનાવે મોરપીંછું.
-શરદ ત્રિવેદી
→ 2 CommentsCategories: ગઝલ · શરદ ત્રિવેદી
બે ગઝલ-અસલ પાલનપુરી
August 4, 2009 · 16 Comments
અસ્લામ એ.ઉર્ફે અસલ પાલનપુરી ગઝલમાં એક નવો જ સુર લઈને આવે છે.અમર પાલનપુરી ને પોતાના ગુરુ માને છે.એમનુ રહેવાનું હાલ સુરત[રાંદેર] માં છે વ્યવસાયે કોઈ કંપનીમાં ઈલેકટ્રીકલ એન્જીનીયર છે ઉંમર-૨૧ વર્ષ ,પોતાનો વતનપ્રેમ એમના તખ્ખલુસમાં દેખાય જ છે એમના વતનના કવિઓનો બ્લોગ જોઈને અનહદ ખુશી અનુભવી છે પોતે ઉર્દુમાં સવિષેશ લખે છે ક્યારેક ગુજરાતી ગઝલો પણ લખે છે એમણે પોતાની બે રચનાઓ બ્લોગ માટે મોકલી છે એ બદલ આભાર.વધુમાં એમનો પરિચય એમની રચનાઓ જ આપશે.
email:asal_tasu@yahoo.com MO.9904340188


→ 16 CommentsCategories: અસલ પાલનપુરી · ગઝલ
